લોકશાહીમાં નાગરિક ધર્મ: ‘યથા રાજા, તથા પ્રજા’ કે ‘જેવા નાગરિક, તેવા જન પ્રતિનિધિ’?

Civilian Duty Democracy Pandemic Chirag Thakkar Jay

(કોરોનાકાળમાં સરકારની કામગીરી અને વ્યવસ્થાપન વિષે કશું જ કહેવા જેવું નથી. એને આપણે બધાએ સામૂહિકપણે વખોડવા જ રહ્યા અને હવે પછીની ચૂંટણીમાં આપણે યથામતિ આ કામનો હિસાબ પણ માંગીશું અને સરકાર પણ બદલીશું. એટલે આ વાતને સરકારનો પક્ષ લેવાના કે વિરોધ કરવાના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ સરકાર ચૂંટનારાના નાગરિકોના દ્રષ્ટિકોણથી વાંચવી.)

જ્યારે રાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ જે કરે કે કહે એ નિયમ અને પ્રજાએ તેમનું કહ્યું કરવું પડતું. એ રાજાશાહી હતી માટે ‘યથા રાજા, તથા પ્રજા’ સૂત્ર યથાર્થ હતું કારણ કે ત્યારે આપણે ‘પ્રજા’ હતા.

લોકશાહીમાં તેનાથી તદ્દન અવળી ગંગા વહેતી હોય છે. અહીં પ્રજા નહીં પરંતુ ‘નાગરિક‘ હોય છે અને રાજા નહીં પરંતુ ‘જન પ્રતિનિધિ’ હોય છે. લોકશાહીમાં આપણે સર્વેએ બલિદાનો આપીને બંધારણ ઘડ્યું છે. એ બંધારણમાં આપણા હકની સાથે સાથે આપણી ફરજો પણ લખાઈ છે. આપણે ફરજો નિભાવવી નથી, માત્ર હક જ માંગવો છે. એટલે ચૂંટણી સમયે આપણને થોડાંક લાભ મળે છે અને બાકીનો સમય ઠેંગો. સરવાળો કરતા જવાબ એમ જ આવે છે કે આપણે ફરજો નથી નિભાવતા માટે હક મેળવવા લડવું પડે છે. જ્યાં બધા પોતાની ફરજ નિભાવતા હોય, ત્યાં કોઈએ પોતાના હક માટે લડવું પડતું નથી.

Continue reading “લોકશાહીમાં નાગરિક ધર્મ: ‘યથા રાજા, તથા પ્રજા’ કે ‘જેવા નાગરિક, તેવા જન પ્રતિનિધિ’?”

મરણનોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો

Beware Obituary Besanu Avasan Nondh Mobile No Chirag Thakkar Jay

અત્યારની પરિસ્થિતિમાં વર્તમાનપત્રો કે સોશિયલ મીડિયામાં અવસાન નોંધ, બેસણાની જાહેરાત કે શ્રદ્ધાંજલિની તસવીરો મૂકતા પહેલા આ કિસ્સો અવશ્ય વાંચી લેજો.

એક અંગત મિત્રના પપ્પા કોરોનાનો ભોગ બન્યા. એ પોતે પણ સેવા કરવા જતા કોરોનાનો ભોગ બની. એટલે પિતાના અવસાનની નોંધ એક જાણીતા ગુજરાતી દૈનિકમાં એક સપ્તાહ પછી આપી શકી. તેના સહોદરો વિદેશમાં હોવાથી અહીં હાજર એક માત્ર સંતાન તરીકે બધી જ જવાબદારી ઉપાડી લઇને દોડાદોડ પણ તેણે કરી અને બેસણાની જાહેરખબરમાં સંપર્ક નંબર પણ તેનો જ છપાવ્યો.

બેસણાની જાહેરખબર આવી એ દિવસે સવારે 6 વાગ્યાથી ‘માનવ સહાય મંડળ’ના ફોન આવવા માંડ્યાં. એ લોકોએ સવાર-સવારમાં જ કુલ 6થી 7 વાર ફોન કર્યાં. દરેક વખતે અલગ અલગ વ્યક્તિએ વાત કરી અને દરેક વખતે અલગ અલગ દાવા કર્યાં. જેમ કે, એ લોકો સ્વર્ગસ્થના નામની તકતી મૂકવાના છે કે પછી સ્વર્ગસ્થના નામે રામધૂન કરવાના છે કે બટુક ભોજન (આવા સમયમાં?!) કરાવવાના છે કે પછી અનાથ આશ્રમમાં સહાય કરવાના છે. પણ દરેક વખતે રૂપિયાની માંગણી અચૂક કરી.

Continue reading “મરણનોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો”

વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’: ‘ઓપિનિયન’ સામાયિકનાં 25 વર્ષ

Opinion Magazine 25 Years Diaspora World Chirag Thakkar Jay

[શ્રી વિપુલ કલ્યાણીના તંત્રીપદ હેઠળ યુકેથી પ્રગટ થતાં સામાયિક ‘ઓપિનિયન’ના 25 વર્ષ પૂર્ણ થતાં ‘રજત રાણ પડાવે ઓપિનિયન’ નામે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની છઠ્ઠી બેઠકની વાચકસભામાં મને ઉપરોક્ત વિષય પર મારા વિચારો રજૂ કરવાનું બહુમાન આપવામાં આવ્યું હતું. તે પ્રસંગે કરેલી ટૂંકી વાત, જેને ‘ઓપિનિયન‘માં પણ પ્રગટ કરવામાં આવી છે.]

પ્રસ્તાવના

આમ તો ‘જય જગત’ વિનોબાજીએ આપણને સૌને આપેલો જીવનમંત્ર છે પણ મારા માટે તેનો એક અંગત અર્થ પણ છે જેનો ઉઘાડ કરવામાં ‘ઓપિનિયન’ સામાયિકે મહત્વની ભૂમિકા ભજવી છે. ‘ઓપિનિયન’ મેગેઝિનના આ રજત રાણ પ્રસંગે એ અંગત વાત અપ્રસ્તુત નહીં ગણાય એમ માનું છું કારણ કે એ વાત પણ મૂળે તો સ્વથી આગળ વધીને સર્વ સાથે જોડાવાની, માનવમાંથી વિશ્વમાનવ બનવાની દિશામાં અગ્રેસર થવાની જ વાત છે.

જય જગત

Opinion Magazine 25 Years Diaspora World Chirag Thakkar Jay
છઠ્ઠી બેઠકનો સ્ક્રીન શોટઃ (પહેલી કતાર ડાબેથી) ચિરાગ ઠક્કર ‘જય’, રોહિત બારોટ, નટવર ગાંધી અને શ્રીમતી નટવર ગાંધી; (બીજી કતાર ડાબેથી) લોર્ડ ભીખુ પારેખ, વિપુલ કલ્યાણી, ભદ્રા વડગામા; (ત્રીજી કતાર) અશોક કરણિયા, પંચમ શુક્લ (જેમણે આ સ્ક્રીન શોટ લીધો છે.)

તો સૌ પ્રથમ તો આ જય જગતના સ્થૂળ અર્થમાં જય એટલે હું કારણ કે મારા નામ ચિરાગ ઠક્કર પાછળ હું ‘જય’નું ઉપનામ અવશ્ય જોડતો હોઉં છું. અને એ જયનાં જગતનો મહત્તમ વિકાસ થયો છે યુકે નિવાસ દરમિયાન, ‘ઓપિનિયન’ સામાયિક અને ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના સંસર્ગથી.

Continue reading “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’: ‘ઓપિનિયન’ સામાયિકનાં 25 વર્ષ”

મહામારીમાં નાગરિક ધર્મઃ બર્બાદ ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ!

Nagarik-Dharma-Mahamari-Civilian-Duty-Pandemic-Chirag-Thakkar-Jay

હવે તો આંખો સ્વજનો, સ્નેહીજનો અને પરિચિતોની અંતિમ તસવીરો જોઈને થાકી ગઈ છે અને આંગળીઓ ‘ઓમ શાંતિ!’ લખી લખીને! દરરોજ અશુભ સમાચાર જ આવી રહ્યા છે.

પ્રશાસન આંકડાની રમત રમી રહી છે અને પ્રતિબદ્ધતા નથી બતાવી શકી એ તો ‘ઓપન સિક્રેટ’ છે. તેનાથી વિપરિત આપણી મેડિકલ સિસ્ટમ તો પોતાનું એડીચોટીનું જોર લગાવીને કામ કરી જ રહી છે. આપણે જાણીએ જ છીએ કે પૂરતી વ્યવસ્થાઓ અને સાધન-સરંજામ નથી તેમ છતાં એ તંત્ર તો પોતાનું 110% આપી રહ્યું છે.

પણ જનતા તરીકે આપણે શું કર્યું છે એનો હિસાબ લીધો છે? આપણે આ મહામારીમાં માનવતા તો દાખવી શક્યા છીએ પણ નાગરિકધર્મ અવશ્ય ચૂક્યા છીએ.

Continue reading “મહામારીમાં નાગરિક ધર્મઃ બર્બાદ ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ!”

ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકો મૂળ અંગ્રેજી પુસ્તકો કરતાં મોંઘાં કેમ હોય છે?

Gujarati-Translated-Books-More-Expensive-Than-English-Chirag-Thakkar-Jay

અનુવાદક તરીકે જ્યારે લોકોને મળવાનું થાય ત્યારે અમુક પ્રશ્નો તો કાયમ પૂછાતાં હોય છે. જેમ કે,

આનો જવાબ તો એકદમ સરળ અને સમજી શકાય તેવો છે, માત્ર સમજવાની તૈયારી હોવી જોઇએ. મૂળ પ્રશ્ન અર્થશાસ્ત્રનો જ છે. અંગ્રેજી પુસ્તકનાં પ્રકાશનને ગુજરાતી પુસ્તકનાં પ્રકાશન સાથે સરખાવવાથી આ વાત એકદમ સરળતાથી સમજી શકાશે.

અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન

અંગ્રેજી વિશ્વ ભાષા છે, સમગ્ર જગતને જોડતી કડી છે. માટે અંગ્રેજી વાંચી શકતો વર્ગ ઘણો જ વિશાળ છે. આ બહોળા વાચકવર્ગને કારણે,

  • પુસ્તકોનું પ્રકાશન અને વેચાણ બહુ મોટા પાયે શક્ય બને છે.
  • લેખકને રોયલ્ટી સ્વરૂપે મોટી રકમ ચૂકવવામાં આવે, તો પણ પુસ્તકની નકલદીઠ તે રકમ ઓછી જ રહે છે.
  • પુસ્તકો પેપરબેક અને હાર્ડબાઉન્ડ એમ બે સ્વરૂપે છાપવાં શક્ય બને છે અને કિન્ડલ જેવા પ્લેટફોર્મ પર ઇ-બુક સ્વરૂપે પણ વેચી શકાય છે.

ઉદાહરણ તરીકે આપણે ભારતના લોકપ્રિય લેખકો અમીશ અને અશ્વિન સાંઘીના પુસ્તકો લઈએ.

Continue reading “ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકો મૂળ અંગ્રેજી પુસ્તકો કરતાં મોંઘાં કેમ હોય છે?”

Super Deluxe: સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘A.I. Artificial Intelligence’થી ચડિયાતી ભારતીય તમિળ ફિલ્મ

Super Deluxe Vijay Sethupathi Movie Review Chirag Thakkar

ખાંટુ દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગ

વર્ષ 2001માં જ્યારે આ યુગના સૌથી પ્રભાવક ફિલ્મ દિગ્દર્શકોમાંના એક એવા સ્ટીવન સ્પીલબર્ગ ‘A.I. Artificial Intelligence‘ ફિલ્મ લઇને આવ્યા, ત્યારે દર્શકો અને વિવેચકોને તે બહુ જ ગમી હતી. સાયન્સ ફિક્શન સ્વરૂપે રજૂ થયેલી એ ફિલ્મના અંતમાં બહુ જ ખૂબીથી માનવતા વ્યાખ્યાયિત થતી હતી. એ સમયે એમ લાગતું હતું કે માનવતાની આનાથી વધારે સારી અને પ્રેરણાત્મક વ્યાખ્યા કોઈ આપી શકશે નહીં.

A.I. Artificial Intelligence

Super Deluxe Vijay Sethupathi-Movie Review Chirag Thakkar AI Artificial Intelligence Steven Spielberg Movie
સ્ટીવન સ્પીલબર્ગની A.I. Artificial Intelligence ફિલ્મનું પોસ્ટર

એ ફિલ્મની વાર્તા ટૂંકમાં કંઇક આવી હતી. બહુ દૂરના નહીં એવા ભવિષ્યમાં એક દંપતીનું બાળક અસાધ્ય રોગથી પીડાતું હોવાથી તેને ઘણા સમયથી મૂર્છિત અવસ્થામાં રાખવામાં આવ્યું છે. સંતાનની ખોટ પૂરવા એ દંપતી ડેવિડ નામના એક રોબોટિક બાળકને દત્તક લે છે. આ રોબોટ દેખાવમાં તમામ રીતે સામાન્ય બાળક જેવો જ છે. થોડાક સમય પછી દંપતીના બાળકના રોગની સારવાર શોધાઇ જાય છે અને તે સાજો થઇને પાછો આવે છે. એ પછી સાચા બાળક અને આ રોબોટિક બાળક વચ્ચે માતાનો પ્રેમ પામવાની જે સ્પર્ધા થાય છે તે ડેવિડને એવી યાત્રાએ લઈ જાય છે જે અંતમાં માનવ હોવાની વ્યાખ્યા સુધી પહોંચે છે.

Continue reading “Super Deluxe: સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘A.I. Artificial Intelligence’થી ચડિયાતી ભારતીય તમિળ ફિલ્મ”

ભારતની સામાજિક વ્યવસ્થામાં વેડફાતું યુવાધન

Wastage of Youth in India Due To Social System Chirag Thakkar

(આ લેખ સૌ પ્રથમ પ્રિય વિપુલ કલ્યાણીએ ‘ઓપિનિયન‘ના જાન્યુઆરી 2012ના અંકમાં પ્રસિદ્ધ કર્યો. પછી શ્રી પ્રકાશ ન. શાહે 1-2-2012ના ‘નિરીક્ષક’માં તેનું પુનર્મુદ્રણ કર્યું અને જૂન 2012માં ‘નવનીત સમર્પણ‘માં પણ તેને સ્થાન મળ્યું. એટલે આજની ભાષામાં કહીએ તો આ લેખ એ સમયે વાઇરલ થયો હતો. આ વર્ષે જ્યારે ‘ઓપિનિયન’ મેગેઝિન રજત જયંતીની ઉજવણી કરવા જઇ રહ્યું છે, ત્યારે આ લેખ અહીંયા રજૂ કરીને એ સામાયિકનું અને તેમાં સૌના અભિપ્રાયોને મળેલા નિષ્પક્ષ સ્થાનનું સાદર સ્મરણ કરું છું.)

યુ.કે.ના 6 વર્ષના નિવાસ દરમિયાન અહીં વસેલા ભારતીય સમુદાયનો બહોળો પરિચય થયો. અને તેમાં પણ એવા લોકો કે જે હજારો પાઉન્ડ ખર્ચીને વિઝા એક્સ્ટેન્શન કે રિન્યુઅલ કરાવતાં રહીને આ દેશમાં ટકી રહેવાની મથામણ કરતાં રહે છે, એ વર્ગનો પ્રગાઢ પરિચય પામ્યો છું કારણ કે હું પણ એમાંથી જ એક છું. જ્યારે-જ્યારે પણ એ સંબંધ ઓળખાણથી એક ડગલું આગળ વધ્યો છે, ત્યારે-ત્યારે એ દરેક વ્યક્તિની આંખમાં આંખ મેળવીને એક પ્રશ્ન અવશ્ય કર્યો છે, “યુ.કે. કેમ આવવું પડ્યું?” અને જેમ-જેમ જવાબો મળતા ગયા, તેમ-તેમ ભારતીય સમાજમાં અને ખાસ કરીને નવી પેઢીમાં જે દાહક સમસ્યા છે, તેનો પરિચય પામતો ગયો.

મૌલિન પટેલ ગર્ભશ્રીમંત સંતાન અને ખૂબ જ સંસ્કારી. એને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે “ભાઈ, તારે તો બધી રીતે સારું છે, તો ભારતથી અહીં કેમ આવવું પડ્યું?”, ત્યારે તેના ચહેરા પર એવા હાવભાવ આવી ગયા જાણે કે લબકારા મારતા ઘા પર બીજો ઘા પડ્યો હોય! તેનો જવાબ પણ રસપ્રદ હતો. તેણે કહ્યું કે તે બી.એસ.સી. કરતો હતો, તે દરમિયાન તેને એક છોકરી સાથે પ્રેમ થયો. તે છોકરી પણ પટેલ હતી અને છોકરો પણ પટેલ હતો માટે બંનેના મમ્મી-પપ્પા થોડીક આનાકાની બાદ આ સંબંધ સ્વીકારવા તૈયાર થઈ ગયાં પણ મૌલિનની મોટીબહેનની સાસુને આ વાત પસંદ ન પડી. એ અડિયલ સાસુનું એવું કહેવું હતું કે છોકરી લેઉવા પટેલ છે અને છોકરો કડવા પટેલ છે માટે જો આ લગ્ન થાય, તો જ્ઞાતિમાં બદનામી થાય. એ સાસુમાએ એવી આડકતરી ધમકી પણ આપી કે જો મૌલિનને એ છોકરી સાથે પરણાવવામાં આવશે તો તેને કારણે મૌલિનની બહેનને ઘણું દુઃખ વેઠવું પડશે. માટે મૌલિનના લગ્ન થઈ શક્યા નહી. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન મળતાં મૌલિન અને તે છોકરીએ વિદેશ, એટલે કે યુ.કે.નો રસ્તો પકડ્યો અને હવે તેઓ યુ.કે.માં લગ્નની ગાંઠે બંધાઈ ગયા છે અને ભારત દેશમાં મળેલી તાલીમનો ઉપયોગ અહી યુ.કે.માં કરી રહ્યાં છે.

Continue reading “ભારતની સામાજિક વ્યવસ્થામાં વેડફાતું યુવાધન”

International Women’s Dayના દિવસે આયેશાની વાતઃ નિષ્ફળતાઓથી ડરતો અને ડરાવતો સમાજ

International Women's Day Acceptance of Failure Chirag Thakkar

આવતીકાલે 8 માર્ચે International Women’s Day છે, ત્યારે અમદાવાદની એક યુવતીએ ઉઠાવેલા અંતિમ પગલાંની અને તેના પ્રત્યાઘાતોની ચર્ચા અસ્થાને નહીં ગણાય કારણ કે એ મુદ્દો આપણા સમાજ માટે તો મહત્વનો છે જ, પણ સ્ત્રીઓ માટે વિશેષ મહત્વનો છે.

અમદાવાદમાં બનેલી આયેશાની ઘટનાએ માત્ર અમદાવાદ કે ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર ભારતને અને પડોશી દેશોને પણ વિચારે ચડાવી દીધાં છે. તેના વિષે ઘણી વાતો થઇ અને ઘણા યોગ્ય મુદ્દા પણ જાહેરમાં લખાયા અને ચર્ચાયા છે. જેમ કે,

(1) મોટાભાગે વાત થઇ દહેજપ્રથાની, જેને બધાએ વખોડી કાઢી. પણ જ્યારે એ વિચારને અમલમાં મૂકવાની વાત આવે છે ત્યારે શું થાય છે, એ પણ ટૂંકમાં નોંધવા જેવું છે. દહેજપ્રથાના દૂષણ અંગે ભણી ભણીને બે પેઢીઓ મોટી થઇ ગઇ છે એટલે સામેથી મોંઢું ફાડીને દહેજ માંગનારા લોકો તો ઘટ્યા છે પરંતુ દહેજપ્રથા છૂપા સ્વરૂપે તો ચાલું જ છે. એ છહ્મવેષ આવા સંવાદો હેઠળ રચાતો હોય છેઃ “અમે તો છોકરીવાળા પાસે કંઇ માંગ્યું નથી. એમણે રાજીખુશીથી જે આપવું હોય એ આપે.” અથવા “એ લોકો એમની છોકરીને આપે એમાં આપણાથી કંઈ ના થોડી પડાય? આપણે ક્યાં કંઇ કીધું છે?” તમે ભીખ માંગતા ન હોવ તેમ છતાં કોઇ તમારા હાથમાં રૂપિયા મૂકી જાય, તો તેને તમે સ્વીકારશો કે સ્વમાનભેર ના પાડશો?

બીજું, આવું કહ્યાં છતાં ઘણીવાર મોટાભાઇની કે સગા-વહાલાની વહુઓ શું-શું લઇને આવી હતી તેની માહિતી ગમે તે રીતે સામેવાળાને પહોંચી જ જાય છે. આમ સીધી નહીં પણ આડકતરી રીતે તો સૂચવી દેવામાં આવે જ છે કે વહુએ શું શું લઇને આવવું જોઇએ.

Continue reading “International Women’s Dayના દિવસે આયેશાની વાતઃ નિષ્ફળતાઓથી ડરતો અને ડરાવતો સમાજ”

‘આપણી વાત’ માટે વર્ષા પાઠકનો આભાર

આમ તો બધાના જીવન ઘડતરમાં વાંચન અત્યંત મહત્વનો ભાગ ભજવે છે પરંતુ શિક્ષકો અને લેખકો-પત્રકારો માટે તો તે અનિવાર્ય છે. દુર્ભાગ્યે એવા શિક્ષકો અને લેખકો-પત્રકારોની સંખ્યા હવે ઘટી રહી છે. ત્યારે લોકપ્રિય લેખિકા વર્ષા પાઠકે મારો લેખ ‘વિશ્વ માતૃભાષા દિવસનો ફોરવર્ડોત્સવ‘ વાંચ્યો, ઇમેલ પર તેનો સુંદર પ્રતિભાવ આપ્યો અને પોતાની ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં ચાલતી કોલમ ‘આપણી વાત’ માં પણ તેના વિષે વાત કરી, તેનો ઋણસ્વીકાર!

Continue reading “‘આપણી વાત’ માટે વર્ષા પાઠકનો આભાર”

પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો

Gujarati To English Translation Chirag Thakkar Jay

પુસ્તકોનો છંદ લાગ્યો ત્યારથી માત્ર શબ્દોના સથવારે જ જીવન વીતાવવું એવો વિચાર હતો પરંતુ એવું કરી શક્યો છું 2013થી. એમાં પણ જીવન નિર્વાહ તો મોટાભાગે અનુવાદ, અને content writingથી જ થાય છે. આજે 100થી વધારે પુસ્તકોના અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ (English to Gujrati Translation) અને ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ (Gujarati to English Translation) કરવાનો સંતોષ પ્રાપ્ત થયો છે. આંતરરાષ્ટ્રીય કામમાં તો ઘણી વાર હિન્દીથી અંગ્રેજી અનુવાદ (Hindi to English Translation) અને અંગ્રેજીથી હિન્દી અનુવાદ (English To Hindi Translation) પણ કર્યો છે. હમણાં તો તમિલથી ગુજરાતી અનુવાદ (Tamil to English Translation)નું સાહસ પણ કર્યું છે, અંગ્રેજીના રસ્તે થઈને!

કાયમ પૂછાતો પ્રશ્ન

Gujarati To English Translation Chirag Thakkar Jay

એટલે અનુવાદના જગતમાં ઘણા ઊંડા ઉતરવાનું થયું છે અને એ ઓળખાણ સાથે જ ઘણાં સર્જક, પ્રકાશક, અનુવાદક અને ભાવકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક થતો રહ્યો છે. જો વાતચીત સામાન્યથી થોડીક આગળ વધે તો એક સવાલ હંમેશા મને પૂછાતો રહ્યો છેઃ આપણા ઉત્તમ ગુજરાતી પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ શા માટે નથી થતો? મારા અન્ય અનુવાદક મિત્રોને પણ આ પ્રશ્ન ક્યારેકને ક્યારેક અવશ્ય પૂછાયો હશે, એમ હું છાતી ઠોકીને કહી શકું છું. દરેક વખતે સમયાનુસાર મેં બધાને લાંબો કે ટૂંકો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો જ છે, એમ છતાં આ માધ્યમથી આજે એ પ્રશ્નનો વિસ્તૃત જવાબ આપવો છે.

Continue reading “પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાનાં કારણો”