લોકશાહીમાં નાગરિક ધર્મ: ‘યથા રાજા, તથા પ્રજા’ કે ‘જેવા નાગરિક, તેવા જન પ્રતિનિધિ’?

Civilian Duty Democracy Pandemic Chirag Thakkar Jay

(કોરોનાકાળમાં સરકારની કામગીરી અને વ્યવસ્થાપન વિષે કશું જ કહેવા જેવું નથી. એને આપણે બધાએ સામૂહિકપણે વખોડવા જ રહ્યા અને હવે પછીની ચૂંટણીમાં આપણે યથામતિ આ કામનો હિસાબ પણ માંગીશું અને સરકાર પણ બદલીશું. એટલે આ વાતને સરકારનો પક્ષ લેવાના કે વિરોધ કરવાના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ સરકાર ચૂંટનારાના નાગરિકોના દ્રષ્ટિકોણથી વાંચવી.)

જ્યારે રાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ જે કરે કે કહે એ નિયમ અને પ્રજાએ તેમનું કહ્યું કરવું પડતું. એ રાજાશાહી હતી માટે ‘યથા રાજા, તથા પ્રજા’ સૂત્ર યથાર્થ હતું કારણ કે ત્યારે આપણે ‘પ્રજા’ હતા.

લોકશાહીમાં તેનાથી તદ્દન અવળી ગંગા વહેતી હોય છે. અહીં પ્રજા નહીં પરંતુ ‘નાગરિક‘ હોય છે અને રાજા નહીં પરંતુ ‘જન પ્રતિનિધિ’ હોય છે. લોકશાહીમાં આપણે સર્વેએ બલિદાનો આપીને બંધારણ ઘડ્યું છે. એ બંધારણમાં આપણા હકની સાથે સાથે આપણી ફરજો પણ લખાઈ છે. આપણે ફરજો નિભાવવી નથી, માત્ર હક જ માંગવો છે. એટલે ચૂંટણી સમયે આપણને થોડાંક લાભ મળે છે અને બાકીનો સમય ઠેંગો. સરવાળો કરતા જવાબ એમ જ આવે છે કે આપણે ફરજો નથી નિભાવતા માટે હક મેળવવા લડવું પડે છે. જ્યાં બધા પોતાની ફરજ નિભાવતા હોય, ત્યાં કોઈએ પોતાના હક માટે લડવું પડતું નથી.

Continue reading “લોકશાહીમાં નાગરિક ધર્મ: ‘યથા રાજા, તથા પ્રજા’ કે ‘જેવા નાગરિક, તેવા જન પ્રતિનિધિ’?”

મહામારીમાં નાગરિક ધર્મઃ બર્બાદ ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ!

Nagarik-Dharma-Mahamari-Civilian-Duty-Pandemic-Chirag-Thakkar-Jay

હવે તો આંખો સ્વજનો, સ્નેહીજનો અને પરિચિતોની અંતિમ તસવીરો જોઈને થાકી ગઈ છે અને આંગળીઓ ‘ઓમ શાંતિ!’ લખી લખીને! દરરોજ અશુભ સમાચાર જ આવી રહ્યા છે.

પ્રશાસન આંકડાની રમત રમી રહી છે અને પ્રતિબદ્ધતા નથી બતાવી શકી એ તો ‘ઓપન સિક્રેટ’ છે. તેનાથી વિપરિત આપણી મેડિકલ સિસ્ટમ તો પોતાનું એડીચોટીનું જોર લગાવીને કામ કરી જ રહી છે. આપણે જાણીએ જ છીએ કે પૂરતી વ્યવસ્થાઓ અને સાધન-સરંજામ નથી તેમ છતાં એ તંત્ર તો પોતાનું 110% આપી રહ્યું છે.

પણ જનતા તરીકે આપણે શું કર્યું છે એનો હિસાબ લીધો છે? આપણે આ મહામારીમાં માનવતા તો દાખવી શક્યા છીએ પણ નાગરિકધર્મ અવશ્ય ચૂક્યા છીએ.

Continue reading “મહામારીમાં નાગરિક ધર્મઃ બર્બાદ ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ!”