‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદ: 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોના અનુવાદ સ્વરૂપે વિપુલ કલ્યાણીને સ્નેહવંદન

sahityatva-book-gujarati-translation-0f-acceptance-speeches-of-noble-laureates-1991-to-2016-vipool-kalyani-chirag-thakkar-jay

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદના જન્મદિન ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ 24મી ઓગસ્ટના રોજ ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ)ના આંગણે બપોરે 3:30થી 6:00 સુધી શિક્ષણ મહાવિદ્યાલય ખંડમાં યુનાઈટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા એક સુંદર પરિસંવાદ યોજાઈ ગયો.

“ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના પ્રમુખ અને ગુજરાતી ડાયસ્પોરાના દીવાદાંડી સમા વિપુલભાઈ કલ્યાણી”એ “ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અને ડાયસ્પોરા ક્ષેત્રે કરેલા કામની કદરરૂપે” ગુસાઅ(યુકે) વતી કવિ અદમ ટંકારવી અને કવિ પંચમ શુક્લના સંપાદનમાં ‘સાહિત્યત્વ’ નામનું પુસ્તક પ્રકાશિત કરીને વિપુલ કલ્યાણીને અર્પણ કરવામાં આવ્યું છે. એ પુસ્તકમાં 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એજ પુસ્તક અંગે “‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય” પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમય તેમજ ડાયસ્પોરા સમાજની આવશ્યકતા અનુસાર આ પરિસંવાદ ઓનલાઈન અને ઓફલાઈન એમ હાઈબ્રીડ સ્વરૂપનો હતો.

Continue reading “‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદ: 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોના અનુવાદ સ્વરૂપે વિપુલ કલ્યાણીને સ્નેહવંદન”