જ્યારથી એવા સમાચાર મળ્યા કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ એપીજે અબ્દુલ કલામને મળવા જવાનું છે ત્યારથી એ દિવસથી રાહ જોતો હતો. ઘરમાં કે મિત્રવર્તુળમાં કોઈને વાત પણ નહોતી કરી કારણ કે આવી ઘટનાઓમાં ઘણાં ‘જો’ અને ‘તો’ હોય છે અને છેલ્લી ઘડીએ કંઇક લોચો તો પડશે જ એમ મનથી થતું હતું.
પણ છેવટે એ દિવસ આવી પહોંચ્યો હતો. (03/01/2014) એકબાજુ અમદાવાદના કનોરિયા સેન્ટરમાં શરૂ થઈ રહેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)માં હાજર રહેવાની તાલાવેલી હતી તો બીજી બાજુ કલામ સાહેબને મળવાની અદમ્ય ઝંખના હતી. તો પણ જીએલએફના ઉદ્દઘાટનમાં તો પહોંચી જ ગયો અને એ સાહિત્યોત્સવ માણતો રહ્યો. જોકે ત્યાં મારા પ્રકાશક રોનક શાહ (નવભારત સાહિત્ય મંદિર) મળી ગયા અને મને તેમણે યાદ અપાવ્યું કે મારે શાહીબાગ સમયસર હાજર રહેવું જરૂરી છે. એટલે ઉદ્દઘાટન સમારોહ પત્યા પછી મારે નીકળી જવું પડ્યું.
ઉત્તેજના એટલી હતી કે બધા કરતા સૌથી પહેલા હું જ ત્યાં પહોંચી ગયો. આમ તો રાહ જોવામાં કંટાળો આવત પણ શાહીબાગના એ વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય માણવમાં અને ખાસ તો મુક્ત મને વિહરતા મોર જોવામાં સમય વીતી ગયો. સાડા ત્રણ વાગે મુલાકાતનો સમયે હતો ત્યારે અમારી ટીમના એક સિવાય બધા જ આવી ગયા હતા. એ એક વ્યક્તિની રાહમાં અમારે દસ મિનિટ રોકાવું પડ્યું થયું અને એ દરમિયાન કલામ સાહેબને લંચ માટે બેસાડી દેવામાં આવ્યા. એટલે અમારે થોડીક વધારે રાહ જોવી પડી.
Continue reading “એ.પી.જે. અબ્દુલ કલામ સાથે મુલાકાતઃ સાદગીના વૈભવના સાક્ષી”