અશ્વિની ભટ્ટની લઘુનવલ ‘કમઠાણ’ એટલે ગુજરાતી નવલકથાની ‘હેરા ફેરી’

Ashwinee Bhatt Kamthan Gujarati Comedy Novel Chirag Thakkar Jay અશ્વિની ભટ્ટની ગુજરાતી હાસ્યનવલ કમઠાણ અંગે
Ashwinee Bhatt Othar Novel અશ્વિની ભટ્ટ ઓથાર નવલકથા 001
The Ashini Bhatt એટલે કે આપણા પ્રિય અશ્વિની દાદા
Continue reading “અશ્વિની ભટ્ટની લઘુનવલ ‘કમઠાણ’ એટલે ગુજરાતી નવલકથાની ‘હેરા ફેરી’”

ઓથાર – અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા

Ashwinee Bhatt Othar Gujarati Historical Novel Chirag Thakkar Jay

જ્યારે મારાં ગમતાં પુસ્તકોની યાદી બનાવવાની આવે છે ત્યારે હું ખૂબ મૂંઝાઈ જાઉં છુ. એકાદ હજાર પુસ્તકો તો ગમે જ છે. એ બધાની યાદી કેવી રીતે બનાવવી? જોકે તે યાદીમાં સૌ પ્રથમ કયું પુસ્તક મૂકવું તેમાં મને જરાય મૂંઝવણ થતી નથી. અશ્વિની ભટ્ટની નવલકથા ‘ઓથાર’ હંમેશા એ યાદીમાં પ્રથમ ક્રમે જ આવે છે.

Ashwinee Bhatt Othar Novel અશ્વિની ભટ્ટ ઓથાર નવલકથા 001
The Ashwinee Bhatt એટલે કે આપણા પ્રિય અશ્વિની દાદા

પદ્યમાં ગઝલ અને ગદ્યમાં નવલકથા એ મારા પ્રિયતમ સાહિત્ય પ્રકાર છે. સુરેશ દલાલના કહ્યા મુજબ હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ તત્કાલીન ગુજરાતી સાહિત્યના બે લોચન સમાન નવલથાકારો છે. તેમાંય અશ્વિની ભટ્ટ તો મારા જેવા તેમના અસંખ્ય ચાહકો માટે આરાધ્ય હશે. શેખાદમ આબુવાલાએ એક વખત કહ્યું હતું, “અશ્વિની ભટ્ટ એ લોખંડી વાચકોનો લેખક છે અને એ પણ એક ગજબનો યોગાનુયોગ છે કે તેની લેખનીમાં ભારોભાર ચુંબકત્વ ભર્યું છે.” ખરી વાત છે. હું તો એ ચુંબકત્વથી સતત આકર્ષાયેલો રહ્યો છું અને તેમના પુસ્તકોનું કેટલીયવાર પુનર્વાચન કર્યું છે.

Continue reading “ઓથાર – અશ્વિની ભટ્ટની સર્વોત્તમ નવલકથા”