(Repost: આ 2020ની જૂની પોસ્ટ છે. ગૂગલે કોઈ પણ ચોક્કસ કારણ આપ્યા વિના અકાઉન્ટ ડિએક્ટિવેટ કરી નાખ્યું હતું તેથી જૂનો બ્લોગ તો બંધ થઈ ગયો હતો. આજની તારીખે, એ નિર્ણયના 11 વર્ષ થયા છે એમ યાદ આવ્યું ત્યારે વેબ આર્કાઇવ્ઝ પરથી શોધીને આ જૂનું લખાણ પાછું પોસ્ટ કર્યું છે.)
આજે (18/11/2020)ના રોજ યુકેથી ભારત પાછા આવ્યાને 8 વર્ષ પૂરા થઈ ગયા. સાતેક વર્ષ ત્યાં રહ્યો, ઘણું શીખ્યો, દુનિયા જોઈ અને પુત્રીરત્ન પામીને પાછો ફર્યો, એ ઘટના આજે પણ એટલી જ તાજી છે, જાણે કે કાલે જ પાછો ફર્યો હોઉં. પાછો આવ્યો ત્યારથી આજ સુધી અઢળક મિત્રો, પરિચિતો અને સ્નેહીજનોએ પાછા આવવાનું કારણ મને અલગ અલગ રીતે પૂછે રાખ્યું છે. બધાના મનમાં એવી જ છાપ છે કે વિદેશનું જીવન છોડીને કોઈ આવે નહીં (અથવા તો આવી શકે નહીં.) બધાને સમય અનુસાર લાંબા-ટૂંકા જવાબ તો આપ્યા જ છે. આજે એકવાર વિગતવાર એ કારણો ભૂમિતિના ‘રાઇડર’ની જેમ ‘ના-ના-ના-માટે હા’ કરીને ગણાવી દઉં જેથી મારે કાયમની શાંતિ.
વિદેશથી પાછા નહીં ફરવાના ભારતીય યુવાનોના મુખ્ય આટલાં કારણો હોય છેઃ
Continue reading “યુકેથી ભારત પાછા કેમ આવ્યા? : 7 વર્ષ વિદેશ રહીને સ્વદેશ પાછા ફરેલા યાયાવરના મનની વાત”