મરણનોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો

Beware Obituary Besanu Avasan Nondh Mobile No Chirag Thakkar Jay

અત્યારની પરિસ્થિતિમાં વર્તમાનપત્રો કે સોશિયલ મીડિયામાં અવસાન નોંધ, બેસણાની જાહેરાત કે શ્રદ્ધાંજલિની તસવીરો મૂકતા પહેલા આ કિસ્સો અવશ્ય વાંચી લેજો.

એક અંગત મિત્રના પપ્પા કોરોનાનો ભોગ બન્યા. એ પોતે પણ સેવા કરવા જતા કોરોનાનો ભોગ બની. એટલે પિતાના અવસાનની નોંધ એક જાણીતા ગુજરાતી દૈનિકમાં એક સપ્તાહ પછી આપી શકી. તેના સહોદરો વિદેશમાં હોવાથી અહીં હાજર એક માત્ર સંતાન તરીકે બધી જ જવાબદારી ઉપાડી લઇને દોડાદોડ પણ તેણે કરી અને બેસણાની જાહેરખબરમાં સંપર્ક નંબર પણ તેનો જ છપાવ્યો.

બેસણાની જાહેરખબર આવી એ દિવસે સવારે 6 વાગ્યાથી ‘માનવ સહાય મંડળ’ના ફોન આવવા માંડ્યાં. એ લોકોએ સવાર-સવારમાં જ કુલ 6થી 7 વાર ફોન કર્યાં. દરેક વખતે અલગ અલગ વ્યક્તિએ વાત કરી અને દરેક વખતે અલગ અલગ દાવા કર્યાં. જેમ કે, એ લોકો સ્વર્ગસ્થના નામની તકતી મૂકવાના છે કે પછી સ્વર્ગસ્થના નામે રામધૂન કરવાના છે કે બટુક ભોજન (આવા સમયમાં?!) કરાવવાના છે કે પછી અનાથ આશ્રમમાં સહાય કરવાના છે. પણ દરેક વખતે રૂપિયાની માંગણી અચૂક કરી.

Continue reading “મરણનોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો”