સ્ટીગ લાર્સનની મિલેનિયમ ટ્રિલોજીઃ અજોડ નારીપાત્ર લિસબેથ સેલાન્ડરની નવલકથાત્રયી

Stieg Larsson The Girl Millennium Trilogy Book Review Chirag Thakkar Jay

જેમણે અશ્વિની ભટ્ટની ‘કટિબંધ’ વાંચી હશે તેમને એક વિચાર તો આવ્યો જ હશે કે ત્રણ ભાગમાં લખાયેલી આ નવલકથા ત્રણ અલગ-અલગ નવલકથા તરીકે પણ અવશ્ય વાચકોને જકડી રાખત અને તેમ છતાં લેખકે તેમને બખૂબી એક તાંતણે બાંધીને વધારે મજબૂત નવલકથા આપી છે.

આવી જ રસપ્રચુર નવલકથાત્રયી (ટ્રિલોજી) છે સ્ટીગ લાર્સન (Stieg Larsson) કૃત ‘મિલેનિયમ ટ્રિલોજી’. જ્યારે સ્ટીગ લાર્સનની ‘મિલેનિયમ ટ્રિલોજી’ વાંચવા હાથમાં લીધી ત્યારે એવો કોઈ જ અણસાર નહોતો કે તેઓ આટલા પ્રિય થઈ પડશે. પણ તેમની ત્રણેય નવલક્થાઓ વાંચીને અનાયાસે એક હાયકારો નીકળી ગયો, “બસ, આટલું જ? હજી લખો…” પણ તેમની ‘મિલેનિયમ ટ્રિલોજી’ તો મરણોત્તર પ્રગટ થઈ હતી! જેમને કદી જોયા નહોતા કે જાણ્યા નહોતા, માત્ર વાંચ્યા જ હતાં તેમના ન હોવાથી કેમ આટલો અફસોસ થતો હશે?

આની પહેલા આવું બન્યું હતું 1998માં. એક સાંજે હરકિસન મહેતાની ‘જડ-ચેતન’નો પહેલો ભાગ હાથમાં હતો અને એક મિત્રનો ફોન આવ્યો. જેવો ફોન ઉપાડ્યો કે તેણે કહ્યું, “તારા વાળા પેલા હરકિસન મહેતા તો ગયા.” મને ધ્રાસ્કો પડ્યો. મેં જે સાંભળ્યું અને હું જે સમજ્યો તે સાચું કે ખોટું તેની ખાતરી કરવા મે પૂછ્યું, “ફરીથી કહે તો?” મિત્રએ કહ્યું, “પેલા લેખક…એ તો ગયા હવે ભગવાનના ઘરે.” અને મારાથી ‘જડ-ચેતન’ના પાછલાં પૂઠાં પર તેમનો ફોટો જોવાઈ ગયો. દિલમાં ડૂમો ભરાઈ ગયો. કોઈની નજરે ન પડે એટલે ઘરના ઉપરના માળે જઈને છાનું-છાનું રડી પણ લીધું.

Continue reading “સ્ટીગ લાર્સનની મિલેનિયમ ટ્રિલોજીઃ અજોડ નારીપાત્ર લિસબેથ સેલાન્ડરની નવલકથાત્રયી”