અનુવાદઃ ભાષાની આનંદક્રીડા – ૨મણીક સોમેશ્વર

Translation-Playing-With-Languages-Joyfully-Ramanik-Someshwar-Chirag-Thakkar-Jay #chiragthakkar #chiragthakkarjay #Translation #RaagChirag #રાગચિરાગ #writer #translator #speaker #author #reader #RamanikSomeshwar

(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં પહેલાં શ્રી રમણ સોનીનું ‘અનુવાદ, અનુવાદ અને વાચક’ શીર્ષક વાળું વક્તવ્ય રજૂ થયું હતું. એ પછી શ્રીમતી દર્શના ધોળકિયાએ ‘સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો’ અંગે વક્તવ્ય આપ્યું હતું. છેલ્લે શ્રી રમણીક સોમેશ્વરે ‘અનુવાદઃ ભાષાની આનંદક્રીડા’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં એ ત્રણેય પ્રસિદ્ધ થયાં હતાં. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. ત્રણેય વક્તવ્યો સાંભળવામાં પણ મજા આવી હતી માટે આપની સમક્ષ ગમતાનો ગુલાલ!)

ભાષા એટલે સૃષ્ટિનો અનુવાદ

કવિ બોદલેરે કવિઓને વૈશ્વિક ભાષાંતરકારો કહ્યા છે. એમના મતે કવિઓ સૃષ્ટિની ભાષા એટલે કે તારામંડળ, જળતત્ત્વ, વૃક્ષરાજિ, આદિનું મનુષ્યની ભાષામાં ભાષાંતર કરતા હોય છે. એ રીતે જોવા જઈએ તો પ્રત્યેક ભાષા પોતે જ એક અનુવાદ છે – સૃષ્ટિની ભાષાનો, પરિવેશનો અરે, મનુષ્યના અશબ્દ અનુભવો અને પ્રતીતિઓનો માનવ-ભાષામાં અનુવાદ.

અનુવાદની ઉત્કંઠાનું અવતરણ

હવે, ભાષાઓ તો અસંખ્ય અને પ્રત્યેક ભાષાનું આગવું વ્યક્તિત્વ. અનેક સ્તરો ભાષાના અને દરેક સ્તરના વિભિન્ન રંગો, વળી રંગે રંગે આગવી છટાઓ, ધ્વનિઓ, ભાવ સંદર્ભો. શ્રી નગીનદાસ પારેખ કહે છે તેમ ‘કોઈપણ બે ભાષા બધી જ વસ્તુ એક જ રીતે કહેતી નથી. દરેક ભાષા સૈકાઓના વપરાશથી અને તેને બોલનાર પ્રજાના સામાજિક તથા સાહિત્યિક ઇતિહાસથી એવી વિશિષ્ટરીતે ઘડાયેલી હોય છે કે તેના કણેકણમાં સંલગ્ન સૂચનો, સંસ્કારો અને સૂક્ષ્મ અર્થની તથા ભાવની છટાઓના ભંડાર ભર્યા હોય છે.’ હવે જરા વિચાર કરીએ તો જણાશે કે ભાષાઓ તો અનેક પણ એના ભાષક એવા માણસનો માંહ્યલો બધે જ એક. એના સંવેદનના રણકા૨માં સંવાદી સૂરો સંભળાયા કરે. તેથી જ કદાચ પોતાની ભાષા સિવાયની ભાષાઓમાં પ્રકટ થતા સંવેદનના સૂરો ઝીલવાની ઉત્કંઠા માણસના મનમાં જાગતી હશે અને એમાંથી જ જન્મ્યો હશે અનુવાદનો વિચાર, એ રીતે અવતરી હશે અનુવાદની ભાષા.

Continue reading “અનુવાદઃ ભાષાની આનંદક્રીડા – ૨મણીક સોમેશ્વર”