તમિળ ફિલ્મ ’96’ એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની પેટી ખોલતી હૃદયસ્પર્શી લવસ્ટોરી

Tamil Movie 96 - A Lovestory of 90s

દરેક જનરેશન એટલે કે પેઢીની એક તાસીર હોય છે, ખાસિયત હોય છે, લાક્ષણિકતા હોય છે. તે ઘડાતી હોય છે તે સમયના પ્રવાહો ઝીલવાથી અને તેમાં જોડાવાથી. કોઈ પેઢી બીજી પેઢીથી સારી કે ખરાબ નથી હોતી, તેમ છતાં દરેક પેઢીને પોતાનો સમય, પોતાની પેઢી જ સર્વોત્તમ લાગતી હોય છે. અને એમાં ખોટું પણ શું છે? ચાલો, વાત કરીએ 90ના દસકમાં કિશોરાવસ્થાથી યુવાવસ્થામાં આવેલી એ પેઢીની, એટલે કે 90ના દસકની પેઢીની, જે જન્મી હતી 80ના દસકમાં અને અત્યારે પોતાની ચાલીસીમાં છે. હું પણ એમાંનો જ એક.

90ના દસકાનો માહોલ ઘણો અલગ હતો. બાળકો સાઈકલ પર સ્કૂલે જવામાં ગર્વ અનુભવતા હતા, મિત્રો સાથે અને મિત્રો માટે રખડપટ્ટી કરવામાં થાકતા નહોતા, મા-બાપ તેમને ઘરની અંદર રાખવા માટે સતત મથતાં રહેતાં, ટીવીમાં જોડીને રમી શકાય તેવી વિડિયો ગેમ તેમનું સપનું હતું, લેન્ડલાઈન ફોન ઘરની લક્ઝરી હતી, ઉનાળામાં રાત્રે પચાસ પૈસા કે રૂપિયાનો બરફ લાવીને પાણી ઠંડુ કરીને પીવામાં તેમને આનંદ આવતો હતો અને મૂક-અવ્યક્ત-ઉત્કટ પ્રેમ એ પેઢીની આગવી લાક્ષણિકતા હતી.

એ પેઢી DDLJના મદમાં મસ્ત થનારી પેઢી હતી. તેઓ પ્રેમ કરતા પણ હતા અને તેને વ્યક્ત પણ નહોતા કરતા. તેમને પ્રેમલગ્ન કરવા પણ હતા અને મા-બાપને મનાવવા પણ હતા. તેમને પરિવાર માટે જીવવું પણ હતું અને કોઈના પર મરવું પણ હતું. ટૂંકમાં, એ Future Impossibe Tesneમાં જીવનારી પેઢી હતી. તેઓ કિનારા સુધી વહાણ લાવીને પાછા મધદરિયે જતા રહેનારા હતા.

ચારુ ગુપ્ત અને પ્રેમ કુમાર પણ સંભવતઃ આ પેઢીના જ પ્રતિનિધિઓ હોવા જોઈએ. માટે જ તેમણે એક અદ્ભુત સ્ક્રીપ્ટ લખી, સ્વયં પ્રેમ કુમારે જ તેને ડિરેક્ટ કરી અને વિજય સેતુપતિ તેમજ ત્રિશા ક્રિષ્નનના ઊડીને આંખે વળગે તેવા સંકોચશીલ, બારીક અભિનય સાથે એક ફિલ્મ બનાવી જેનું નામ છે ’96’. (મૂળે 2018માં તમિળમાં બનેલી આ ફિલ્મ 2019માં હિન્દીમાં પણ ડબ થઈ છે.)

’96’ ફિલ્મનું હિન્દી ટ્રેલર!

આ ફિલ્મની વાર્તા એ પેઢીની જ વાર્તા છે. શાળાજીવનમાં શરૂ થયેલો અવ્યક્ત પ્રેમ ક્યાં અને કેવી રીતે પહોંચ્યો તેની વાર્તા તેમાં ઓછામાં ઓછા સંવાદો અને ઓછામાં ઓછા મેલોડ્રામા થકી દર્શાવાઈ છે. જે પણ વ્યક્ત થયું છે તેમાંથી વધુ તો માત્ર આંખો અને હાવભાવથી જ વ્યક્ત થયું છે અને છતાં આપણે વાર્તા સમજી જઈએ છીએ કારણ કે આપણે તો એ વાર્તા જીવી ગયા છીએ.

Continue reading “તમિળ ફિલ્મ ’96’ એટલે મૂક, અવ્યક્ત, ઉત્કટ પ્રેમની ગાથાઃ અત્યારે ચાલીસીમાં જીવતી જનરેશનની યાદોની પેટી ખોલતી હૃદયસ્પર્શી લવસ્ટોરી”

‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદ: 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોના અનુવાદ સ્વરૂપે વિપુલ કલ્યાણીને સ્નેહવંદન

sahityatva-book-gujarati-translation-0f-acceptance-speeches-of-noble-laureates-1991-to-2016-vipool-kalyani-chirag-thakkar-jay

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદના જન્મદિન ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ 24મી ઓગસ્ટના રોજ ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ)ના આંગણે બપોરે 3:30થી 6:00 સુધી શિક્ષણ મહાવિદ્યાલય ખંડમાં યુનાઈટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા એક સુંદર પરિસંવાદ યોજાઈ ગયો.

“ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના પ્રમુખ અને ગુજરાતી ડાયસ્પોરાના દીવાદાંડી સમા વિપુલભાઈ કલ્યાણી”એ “ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અને ડાયસ્પોરા ક્ષેત્રે કરેલા કામની કદરરૂપે” ગુસાઅ(યુકે) વતી કવિ અદમ ટંકારવી અને કવિ પંચમ શુક્લના સંપાદનમાં ‘સાહિત્યત્વ’ નામનું પુસ્તક પ્રકાશિત કરીને વિપુલ કલ્યાણીને અર્પણ કરવામાં આવ્યું છે. એ પુસ્તકમાં 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એજ પુસ્તક અંગે “‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય” પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમય તેમજ ડાયસ્પોરા સમાજની આવશ્યકતા અનુસાર આ પરિસંવાદ ઓનલાઈન અને ઓફલાઈન એમ હાઈબ્રીડ સ્વરૂપનો હતો.

Continue reading “‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય પરિસંવાદ: 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોના અનુવાદ સ્વરૂપે વિપુલ કલ્યાણીને સ્નેહવંદન”

અનુવાદઃ ભાષાની આનંદક્રીડા – ૨મણીક સોમેશ્વર

Translation-Playing-With-Languages-Joyfully-Ramanik-Someshwar-Chirag-Thakkar-Jay #chiragthakkar #chiragthakkarjay #Translation #RaagChirag #રાગચિરાગ #writer #translator #speaker #author #reader #RamanikSomeshwar

(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં પહેલાં શ્રી રમણ સોનીનું ‘અનુવાદ, અનુવાદ અને વાચક’ શીર્ષક વાળું વક્તવ્ય રજૂ થયું હતું. એ પછી શ્રીમતી દર્શના ધોળકિયાએ ‘સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો’ અંગે વક્તવ્ય આપ્યું હતું. છેલ્લે શ્રી રમણીક સોમેશ્વરે ‘અનુવાદઃ ભાષાની આનંદક્રીડા’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં એ ત્રણેય પ્રસિદ્ધ થયાં હતાં. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. ત્રણેય વક્તવ્યો સાંભળવામાં પણ મજા આવી હતી માટે આપની સમક્ષ ગમતાનો ગુલાલ!)

ભાષા એટલે સૃષ્ટિનો અનુવાદ

કવિ બોદલેરે કવિઓને વૈશ્વિક ભાષાંતરકારો કહ્યા છે. એમના મતે કવિઓ સૃષ્ટિની ભાષા એટલે કે તારામંડળ, જળતત્ત્વ, વૃક્ષરાજિ, આદિનું મનુષ્યની ભાષામાં ભાષાંતર કરતા હોય છે. એ રીતે જોવા જઈએ તો પ્રત્યેક ભાષા પોતે જ એક અનુવાદ છે – સૃષ્ટિની ભાષાનો, પરિવેશનો અરે, મનુષ્યના અશબ્દ અનુભવો અને પ્રતીતિઓનો માનવ-ભાષામાં અનુવાદ.

અનુવાદની ઉત્કંઠાનું અવતરણ

હવે, ભાષાઓ તો અસંખ્ય અને પ્રત્યેક ભાષાનું આગવું વ્યક્તિત્વ. અનેક સ્તરો ભાષાના અને દરેક સ્તરના વિભિન્ન રંગો, વળી રંગે રંગે આગવી છટાઓ, ધ્વનિઓ, ભાવ સંદર્ભો. શ્રી નગીનદાસ પારેખ કહે છે તેમ ‘કોઈપણ બે ભાષા બધી જ વસ્તુ એક જ રીતે કહેતી નથી. દરેક ભાષા સૈકાઓના વપરાશથી અને તેને બોલનાર પ્રજાના સામાજિક તથા સાહિત્યિક ઇતિહાસથી એવી વિશિષ્ટરીતે ઘડાયેલી હોય છે કે તેના કણેકણમાં સંલગ્ન સૂચનો, સંસ્કારો અને સૂક્ષ્મ અર્થની તથા ભાવની છટાઓના ભંડાર ભર્યા હોય છે.’ હવે જરા વિચાર કરીએ તો જણાશે કે ભાષાઓ તો અનેક પણ એના ભાષક એવા માણસનો માંહ્યલો બધે જ એક. એના સંવેદનના રણકા૨માં સંવાદી સૂરો સંભળાયા કરે. તેથી જ કદાચ પોતાની ભાષા સિવાયની ભાષાઓમાં પ્રકટ થતા સંવેદનના સૂરો ઝીલવાની ઉત્કંઠા માણસના મનમાં જાગતી હશે અને એમાંથી જ જન્મ્યો હશે અનુવાદનો વિચાર, એ રીતે અવતરી હશે અનુવાદની ભાષા.

Continue reading “અનુવાદઃ ભાષાની આનંદક્રીડા – ૨મણીક સોમેશ્વર”

સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો – દર્શના ધોળકિયા

Creative-Translation-Problems-Darshand-Dholakia-Chirag-Thakkar-Jay

(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં પહેલાં શ્રી રમણ સોનીનું ‘અનુવાદ, અનુવાદ અને વાચક’ શીર્ષક વાળું વક્તવ્ય રજૂ થયું હતું. શ્રીમતી દર્શના ધોળકિયાએ આપેલું વક્તવ્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં પ્રસિદ્ધ થયું હતું. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. દર્શનાબહેને અનુવાદ અંગે વિગતવાર અને અઢળક ઉદાહરણો સહિત એવી માંડીને વાત કરી છે કે તેમનું વક્તવ્ય સાંભળવામાં પણ મજા આવી હતી અને આ લેખ પણ સાદ્યંત વાંચી જવા જેવો છે.)

સર્જન અને અનુવાદ

સર્જન એક પ્રક્રિયા છે. તે વડે પરિણામ પર પહોંચવાનું હોય છે. આ પરિણામ તે કલાનુભવને શક્ય બનાવનારી શક્ય કશી પણ રચના. એ રચના વડે ભાવકને કલાનો અનુભવ થાય છે; ૨સાનુભવ અને આનંદાનુભવ (સુમન શાહ, કલામીમાંસા, પૃ.૧૪૫) આવો ૨સાનુભવ કે આનંદાનુભવ જે કૃતિ કરાવે તે સ્વાભાવિક રીતે સર્જનાત્મક કૃતિ ગણાય. આવી કૃતિઓમાં કવિતા નવલકથા, નવલિકા, નાટક આદિનો સમાવેશ થાય.

સાહિત્યની આ પ્રકારની સર્જનાત્મક કૃતિઓ એની ક્ષમતાને લઈને વિવિધ ભાષાઓમાં અનુવાદિત થતી રહેતી હોય છે આ પ્રકારના અનુવાદો આ કૃતિઓનાં વ્યાપને સિદ્ધ કરતા હોય છે. સાથોસાથ આ પ્રકારના અનુવાદો એક મહત્ત્વનું અને એટલું જ મુશ્કેલ કામ બનતું હોય છે. શ્રીમતી દુર્ગાભાગવત ઉચિત રીતે નોંધે છે તેમ ‘…ઉત્કૃષ્ટ અનુવાદ દુર્લભ વસ્તુ છે. કલાપૂર્ણ સાધના દ્વારા એનો જન્મ શક્ય છે એ ભૂલવું ન જોઈએ. અભિજાત કલાકારની જેમ જ અભિજાત અનુવાદક પણ કયારેક જ પેદા થાય છે…’

ભાષાન્ત૨ અને અનુવાદ

કવિની સાધનામાં ‘પદ્યાનુવાદની સમસ્યા’ એ લેખમાં ઉમાશંકર નોંધે છે તેમ બીજી ભાષાની કૃતિને સ્વભાષામાં ઉતારવાની ક્રિયા માટે આપની પાસે બે શબ્દો છેઃ ભાષાન્ત૨ અને અનુવાદ. આ બે શબ્દો જરીક ખોલીને જોવા જેવા છે. એમ કરતાં કૃતિને સ્વભાષામાં ઉતારવાની આખીય સ૨ણી સુરેખ રીતે સમજવામાં મદદ મળવા સંભવ છે. ભાષાન્તર એટલે અન્ય ભાષા, ભાષાન્તર શબ્દ કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉ૫૨ ભા૨ મૂકે છે. અનુવાદ એટલે મૂળની પાછળ પાછળ – મૂળને અનુસરીને બોલવું તે. ‘અનુવાદ શબ્દ ભાષાન્તર કેવી રીતે થયું તેની આંતરપ્રક્રિયા તરફ લક્ષ ખેંચે છે, કૃતિની ભાષા પલટાય – ‘ભાષાન્તર’ થાય એટલું પૂરતું નથી. મૂળ કૃતિનો જે અવાજ છે તે ઝિલાવો જોઈએ. ભાષાપલટો કરી દેવો – ‘ભાષાન્તર’ આપવું એટલો જ આશય હોવો ન જોઈએ, ‘અનુવાદ કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. દરેક અનુવાદ ભાષાન્તર તો હશે જ. દરેક ભાષાન્તર અનુવાદ હશે જ એમ કહી ન શકાય.

અનુવાદની અશક્યતા

Continue reading “સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો – દર્શના ધોળકિયા”

બુકર પ્રાઇઝ 2022 – અનુવાદની શક્તિ અને અનિવાર્યતાનું પ્રતીક : ‘ગીતાંજલિ’થી ‘રેત સમાધિ’ સુધી વિસ્તરેલી અને અવગણાયેલી અનુવાદકોની અસ્મિતા

Booker-Prize-2022-Noble-Prize-1913-Translators-Honour-Chirag-Thakkar-Jay

ગઈકાલે જાહેર થયેલા બુકર પ્રાઇઝના વિજેતા છે હિન્દી નવલકથા ‘રેત સમાધિ’ના લેખિકા ગીતાંજલી શ્રી. આ પહેલાં પણ ભારતીય કે ભારતીય મૂળના લેખકોને આ સન્માન મળ્યું છે પરંતુ એ તમામનું સર્જન અંગ્રેજી ભાષામાં જ હતું. આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે મૂળ હિન્દીમાં લખાયેલી નવલકથાના ડેઇઝી રોકવેલ દ્વારા કરવામાં આવેલા હિન્દીથી અંગ્રેજી અનુવાદ ‘Tomb of Sand’ને આ ઇનામ મળ્યું છે. એ વાત પણ નોંધપાત્ર છે કે બુકર પ્રાઇઝની ધનરાશિ લેખક અને અનુવાદકમાં સમાન હિસ્સે વહેંચાય છે.

આમ તો ભારતનું પ્રથમ નોબલ પ્રાઈઝ પણ 1913માં રવીન્દ્રનાથ ટાગોરના ‘ગીતાંજલિ’ના બંગાળીથી અંગ્રેજી અનુવાદ ‘Song Offerings’ને જ મળ્યું હતું. એ અનુવાદ જોકે ગુરુદેવે પોતે જ કર્યો હતો પણ હતો તો એ અનુવાદ જ.

અનુવાદ અને અનુવાદકોનો મહિમા

તેમ છતાં આપણે અનુવાદ અને અનુવાદકોનો યોગ્ય મહિમા કર્યો નથી. એ સંદર્ભે ગઈકાલે ‘લલ્લનટોપ શો’ પર થયેલી આ વાત પણ જોવા અને વિચારવા જેવી છે. જુઓ નીચેના વીડિયોમાંઃ

Continue reading “બુકર પ્રાઇઝ 2022 – અનુવાદની શક્તિ અને અનિવાર્યતાનું પ્રતીક : ‘ગીતાંજલિ’થી ‘રેત સમાધિ’ સુધી વિસ્તરેલી અને અવગણાયેલી અનુવાદકોની અસ્મિતા”

લોકશાહીમાં નાગરિક ધર્મ: ‘યથા રાજા, તથા પ્રજા’ કે ‘જેવા નાગરિક, તેવા જન પ્રતિનિધિ’?

Civilian Duty Democracy Pandemic Chirag Thakkar Jay

(કોરોનાકાળમાં સરકારની કામગીરી અને વ્યવસ્થાપન વિષે કશું જ કહેવા જેવું નથી. એને આપણે બધાએ સામૂહિકપણે વખોડવા જ રહ્યા અને હવે પછીની ચૂંટણીમાં આપણે યથામતિ આ કામનો હિસાબ પણ માંગીશું અને સરકાર પણ બદલીશું. એટલે આ વાતને સરકારનો પક્ષ લેવાના કે વિરોધ કરવાના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ સરકાર ચૂંટનારાના નાગરિકોના દ્રષ્ટિકોણથી વાંચવી.)

જ્યારે રાજાઓ રાજ કરતા હતા ત્યારે તેઓ જે કરે કે કહે એ નિયમ અને પ્રજાએ તેમનું કહ્યું કરવું પડતું. એ રાજાશાહી હતી માટે ‘યથા રાજા, તથા પ્રજા’ સૂત્ર યથાર્થ હતું કારણ કે ત્યારે આપણે ‘પ્રજા’ હતા.

લોકશાહીમાં તેનાથી તદ્દન અવળી ગંગા વહેતી હોય છે. અહીં પ્રજા નહીં પરંતુ ‘નાગરિક‘ હોય છે અને રાજા નહીં પરંતુ ‘જન પ્રતિનિધિ’ હોય છે. લોકશાહીમાં આપણે સર્વેએ બલિદાનો આપીને બંધારણ ઘડ્યું છે. એ બંધારણમાં આપણા હકની સાથે સાથે આપણી ફરજો પણ લખાઈ છે. આપણે ફરજો નિભાવવી નથી, માત્ર હક જ માંગવો છે. એટલે ચૂંટણી સમયે આપણને થોડાંક લાભ મળે છે અને બાકીનો સમય ઠેંગો. સરવાળો કરતા જવાબ એમ જ આવે છે કે આપણે ફરજો નથી નિભાવતા માટે હક મેળવવા લડવું પડે છે. જ્યાં બધા પોતાની ફરજ નિભાવતા હોય, ત્યાં કોઈએ પોતાના હક માટે લડવું પડતું નથી.

Continue reading “લોકશાહીમાં નાગરિક ધર્મ: ‘યથા રાજા, તથા પ્રજા’ કે ‘જેવા નાગરિક, તેવા જન પ્રતિનિધિ’?”

મરણનોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો

Beware Obituary Besanu Avasan Nondh Mobile No Chirag Thakkar Jay

અત્યારની પરિસ્થિતિમાં વર્તમાનપત્રો કે સોશિયલ મીડિયામાં અવસાન નોંધ, બેસણાની જાહેરાત કે શ્રદ્ધાંજલિની તસવીરો મૂકતા પહેલા આ કિસ્સો અવશ્ય વાંચી લેજો.

એક અંગત મિત્રના પપ્પા કોરોનાનો ભોગ બન્યા. એ પોતે પણ સેવા કરવા જતા કોરોનાનો ભોગ બની. એટલે પિતાના અવસાનની નોંધ એક જાણીતા ગુજરાતી દૈનિકમાં એક સપ્તાહ પછી આપી શકી. તેના સહોદરો વિદેશમાં હોવાથી અહીં હાજર એક માત્ર સંતાન તરીકે બધી જ જવાબદારી ઉપાડી લઇને દોડાદોડ પણ તેણે કરી અને બેસણાની જાહેરખબરમાં સંપર્ક નંબર પણ તેનો જ છપાવ્યો.

બેસણાની જાહેરખબર આવી એ દિવસે સવારે 6 વાગ્યાથી ‘માનવ સહાય મંડળ’ના ફોન આવવા માંડ્યાં. એ લોકોએ સવાર-સવારમાં જ કુલ 6થી 7 વાર ફોન કર્યાં. દરેક વખતે અલગ અલગ વ્યક્તિએ વાત કરી અને દરેક વખતે અલગ અલગ દાવા કર્યાં. જેમ કે, એ લોકો સ્વર્ગસ્થના નામની તકતી મૂકવાના છે કે પછી સ્વર્ગસ્થના નામે રામધૂન કરવાના છે કે બટુક ભોજન (આવા સમયમાં?!) કરાવવાના છે કે પછી અનાથ આશ્રમમાં સહાય કરવાના છે. પણ દરેક વખતે રૂપિયાની માંગણી અચૂક કરી.

Continue reading “મરણનોંધનો મલાજો ન જાળવતાં (અ)માનવ (સ્વ)સહાય મંડળો”

ધ્રુવ ભટ્ટની નવલકથા ‘કર્ણલોક’: દરેકના જીવનમાં રહેલા કર્ણનાં કારુણ્યની કથા

Dhruv-Bhatt-Gujarati-Novel-Karnlok-Book-Review-Chirag-Thakkar-Jay

[8 મે, 2021 ના દિવસે ધ્રુવ ભટ્ટે 75મા વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિત્તે]

કર્ણ અને કુંતી – ભારતીય સમાજના અનાથ બાળક અને મજબૂર માતાનાં પ્રતીક. પણ કર્ણના જીવનનું કારુણ્ય તેની અનાથતાથી પણ ઘણું વધારે છે જે દિશામાં આપણે વિચાર નથી કરતા. પરંતુ શ્રી ધ્રુવ ભટ્ટ જુદી માટીમાંથી ઘડાયેલા માનવ છે, એવું તમે તેમનું કોઈ પણ પુસ્તક વાંચીને કહી શકશો. માટે સામાન્ય માનવીના જીવનમાં પણ કર્ણના જીવનનું કારુણ્ય રહેલું છે તેમ ધુવ ભટ્ટની ગુજરાતી નવલકથા ‘કર્ણલોક’ વાંચીને અનુભવી શકાય છે.

Dhruv Bhatt Gujarati Novel Karnlok Book Review Chirag Thakkar Jay
ગુજરાતી નવલકથા ‘કર્ણલોક’ના લેખક ધ્રુવ ભટ્ટ જીવનસાથી સાથે
(તસવીરઃ મેઘા જોષી)

સામાન્યતઃ પોતાના લેખન માટે ધ્રુવ ભટ્ટ લખાણ શબ્દ વાપરે છે, પણ ‘કર્ણલોક’ને નવલકથા ગણવામાં આવી છે. તેમ છતાં વાંચતાં-વાંચતાં પ્રતિત તો એમ જ થાય કે ધ્રુવ ભટ્ટ તો એ જ છે, જે આપણને તેમના અન્ય પુસ્તકોમાં જોવા મળે છે. તેમની આગવી શૈલી મુજબ તેમણે પુસ્તક અર્પણ કર્યું છે ‘માનવજાતની પ્રથમ માતાને’. પ્રસ્તાવના પણ માત્ર એક જ લીટીની છેઃ ‘આ પુસ્તક વિશે આનાથી વધારે મારે કંઈ કહેવાનું નથી.’ સાચી વાત છે. પુસ્તકમાં જ તેમણે ઘણું બધું કહ્યું છે, પછી પ્રસ્તાવનામાં કહેવાની શું જરૂર હોય? જોકે પ્રસ્તાવનાનાં પાના પર જમીનમાં ખૂંપી ગયેલાં રથનાં પૈડાનું રેખાંકન પ્રતિકાત્મક છે. આ નવલકથા 24 પ્રકરણ અને 252 પાનામાં આલેખાયેલી છે. ધ્રુવ ભટ્ટ આમ પણ લાંબુ નહી, ઊંડુ લખે છે અને ઘણીવાર તમારે વાચન અટકાવીને જે વાંચ્યું તેની પર બે ક્ષણ વિચારવું પડે છે માટે આ નવલકથાનું કદ વધારે તો લાગતું જ નથી.

Continue reading “ધ્રુવ ભટ્ટની નવલકથા ‘કર્ણલોક’: દરેકના જીવનમાં રહેલા કર્ણનાં કારુણ્યની કથા”

વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’: ‘ઓપિનિયન’ સામાયિકનાં 25 વર્ષ

Opinion Magazine 25 Years Diaspora World Chirag Thakkar Jay

[શ્રી વિપુલ કલ્યાણીના તંત્રીપદ હેઠળ યુકેથી પ્રગટ થતાં સામાયિક ‘ઓપિનિયન’ના 25 વર્ષ પૂર્ણ થતાં ‘રજત રાણ પડાવે ઓપિનિયન’ નામે ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની છઠ્ઠી બેઠકની વાચકસભામાં મને ઉપરોક્ત વિષય પર મારા વિચારો રજૂ કરવાનું બહુમાન આપવામાં આવ્યું હતું. તે પ્રસંગે કરેલી ટૂંકી વાત, જેને ‘ઓપિનિયન‘માં પણ પ્રગટ કરવામાં આવી છે.]

પ્રસ્તાવના

આમ તો ‘જય જગત’ વિનોબાજીએ આપણને સૌને આપેલો જીવનમંત્ર છે પણ મારા માટે તેનો એક અંગત અર્થ પણ છે જેનો ઉઘાડ કરવામાં ‘ઓપિનિયન’ સામાયિકે મહત્વની ભૂમિકા ભજવી છે. ‘ઓપિનિયન’ મેગેઝિનના આ રજત રાણ પ્રસંગે એ અંગત વાત અપ્રસ્તુત નહીં ગણાય એમ માનું છું કારણ કે એ વાત પણ મૂળે તો સ્વથી આગળ વધીને સર્વ સાથે જોડાવાની, માનવમાંથી વિશ્વમાનવ બનવાની દિશામાં અગ્રેસર થવાની જ વાત છે.

જય જગત

Opinion Magazine 25 Years Diaspora World Chirag Thakkar Jay
છઠ્ઠી બેઠકનો સ્ક્રીન શોટઃ (પહેલી કતાર ડાબેથી) ચિરાગ ઠક્કર ‘જય’, રોહિત બારોટ, નટવર ગાંધી અને શ્રીમતી નટવર ગાંધી; (બીજી કતાર ડાબેથી) લોર્ડ ભીખુ પારેખ, વિપુલ કલ્યાણી, ભદ્રા વડગામા; (ત્રીજી કતાર) અશોક કરણિયા, પંચમ શુક્લ (જેમણે આ સ્ક્રીન શોટ લીધો છે.)

તો સૌ પ્રથમ તો આ જય જગતના સ્થૂળ અર્થમાં જય એટલે હું કારણ કે મારા નામ ચિરાગ ઠક્કર પાછળ હું ‘જય’નું ઉપનામ અવશ્ય જોડતો હોઉં છું. અને એ જયનાં જગતનો મહત્તમ વિકાસ થયો છે યુકે નિવાસ દરમિયાન, ‘ઓપિનિયન’ સામાયિક અને ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના સંસર્ગથી.

Continue reading “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’: ‘ઓપિનિયન’ સામાયિકનાં 25 વર્ષ”

મહામારીમાં નાગરિક ધર્મઃ બર્બાદ ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ!

Nagarik-Dharma-Mahamari-Civilian-Duty-Pandemic-Chirag-Thakkar-Jay

હવે તો આંખો સ્વજનો, સ્નેહીજનો અને પરિચિતોની અંતિમ તસવીરો જોઈને થાકી ગઈ છે અને આંગળીઓ ‘ઓમ શાંતિ!’ લખી લખીને! દરરોજ અશુભ સમાચાર જ આવી રહ્યા છે.

પ્રશાસન આંકડાની રમત રમી રહી છે અને પ્રતિબદ્ધતા નથી બતાવી શકી એ તો ‘ઓપન સિક્રેટ’ છે. તેનાથી વિપરિત આપણી મેડિકલ સિસ્ટમ તો પોતાનું એડીચોટીનું જોર લગાવીને કામ કરી જ રહી છે. આપણે જાણીએ જ છીએ કે પૂરતી વ્યવસ્થાઓ અને સાધન-સરંજામ નથી તેમ છતાં એ તંત્ર તો પોતાનું 110% આપી રહ્યું છે.

પણ જનતા તરીકે આપણે શું કર્યું છે એનો હિસાબ લીધો છે? આપણે આ મહામારીમાં માનવતા તો દાખવી શક્યા છીએ પણ નાગરિકધર્મ અવશ્ય ચૂક્યા છીએ.

Continue reading “મહામારીમાં નાગરિક ધર્મઃ બર્બાદ ગુલિસ્તાં કરને કો બસ એક હી ઉલ્લુ કાફી હૈ!”