અર્વાચીનોમાં આદ્ય કવિ નર્મદના જન્મદિન ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ 24મી ઓગસ્ટના રોજ ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ)ના આંગણે બપોરે 3:30થી 6:00 સુધી શિક્ષણ મહાવિદ્યાલય ખંડમાં યુનાઈટેડ કિંગડમ સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા એક સુંદર પરિસંવાદ યોજાઈ ગયો.
“ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના પ્રમુખ અને ગુજરાતી ડાયસ્પોરાના દીવાદાંડી સમા વિપુલભાઈ કલ્યાણી”એ “ગુજરાતી ભાષા-સાહિત્ય-સંસ્કૃતિ અને ડાયસ્પોરા ક્ષેત્રે કરેલા કામની કદરરૂપે” ગુસાઅ(યુકે) વતી કવિ અદમ ટંકારવી અને કવિ પંચમ શુક્લના સંપાદનમાં ‘સાહિત્યત્વ’ નામનું પુસ્તક પ્રકાશિત કરીને વિપુલ કલ્યાણીને અર્પણ કરવામાં આવ્યું છે. એ પુસ્તકમાં 1991થી 2016 સુધીના સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક-વિજેતાઓનાં વક્તવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એજ પુસ્તક અંગે “‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્ય” પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. વર્તમાન સમય તેમજ ડાયસ્પોરા સમાજની આવશ્યકતા અનુસાર આ પરિસંવાદ ઓનલાઈન અને ઓફલાઈન એમ હાઈબ્રીડ સ્વરૂપનો હતો.
(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં પહેલાં શ્રી રમણ સોનીનું ‘અનુવાદ, અનુવાદ અને વાચક’ શીર્ષક વાળું વક્તવ્ય રજૂ થયું હતું. એ પછી શ્રીમતી દર્શના ધોળકિયાએ ‘સર્જનાત્મક કૃતિના અનુવાદના પ્રશ્નો’ અંગે વક્તવ્ય આપ્યું હતું. છેલ્લે શ્રી રમણીક સોમેશ્વરે ‘અનુવાદઃ ભાષાની આનંદક્રીડા’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં એ ત્રણેય પ્રસિદ્ધ થયાં હતાં. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. ત્રણેય વક્તવ્યો સાંભળવામાં પણ મજા આવી હતી માટે આપની સમક્ષ ગમતાનો ગુલાલ!)
ભાષા એટલે સૃષ્ટિનો અનુવાદ
કવિ બોદલેરે કવિઓને વૈશ્વિક ભાષાંતરકારો કહ્યા છે. એમના મતે કવિઓ સૃષ્ટિની ભાષા એટલે કે તારામંડળ, જળતત્ત્વ, વૃક્ષરાજિ, આદિનું મનુષ્યની ભાષામાં ભાષાંતર કરતા હોય છે. એ રીતે જોવા જઈએ તો પ્રત્યેક ભાષા પોતે જ એક અનુવાદ છે – સૃષ્ટિની ભાષાનો, પરિવેશનો અરે, મનુષ્યના અશબ્દ અનુભવો અને પ્રતીતિઓનો માનવ-ભાષામાં અનુવાદ.
અનુવાદની ઉત્કંઠાનું અવતરણ
હવે, ભાષાઓ તો અસંખ્ય અને પ્રત્યેક ભાષાનું આગવું વ્યક્તિત્વ. અનેક સ્તરો ભાષાના અને દરેક સ્તરના વિભિન્ન રંગો, વળી રંગે રંગે આગવી છટાઓ, ધ્વનિઓ, ભાવ સંદર્ભો. શ્રી નગીનદાસ પારેખ કહે છે તેમ ‘કોઈપણ બે ભાષા બધી જ વસ્તુ એક જ રીતે કહેતી નથી. દરેક ભાષા સૈકાઓના વપરાશથી અને તેને બોલનાર પ્રજાના સામાજિક તથા સાહિત્યિક ઇતિહાસથી એવી વિશિષ્ટરીતે ઘડાયેલી હોય છે કે તેના કણેકણમાં સંલગ્ન સૂચનો, સંસ્કારો અને સૂક્ષ્મ અર્થની તથા ભાવની છટાઓના ભંડાર ભર્યા હોય છે.’ હવે જરા વિચાર કરીએ તો જણાશે કે ભાષાઓ તો અનેક પણ એના ભાષક એવા માણસનો માંહ્યલો બધે જ એક. એના સંવેદનના રણકા૨માં સંવાદી સૂરો સંભળાયા કરે. તેથી જ કદાચ પોતાની ભાષા સિવાયની ભાષાઓમાં પ્રકટ થતા સંવેદનના સૂરો ઝીલવાની ઉત્કંઠા માણસના મનમાં જાગતી હશે અને એમાંથી જ જન્મ્યો હશે અનુવાદનો વિચાર, એ રીતે અવતરી હશે અનુવાદની ભાષા.
(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં પહેલાં શ્રી રમણ સોનીનું ‘અનુવાદ, અનુવાદ અને વાચક’ શીર્ષક વાળું વક્તવ્ય રજૂ થયું હતું. શ્રીમતી દર્શના ધોળકિયાએ આપેલું વક્તવ્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં પ્રસિદ્ધ થયું હતું. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. દર્શનાબહેને અનુવાદ અંગે વિગતવાર અને અઢળક ઉદાહરણો સહિત એવી માંડીને વાત કરી છે કે તેમનું વક્તવ્ય સાંભળવામાં પણ મજા આવી હતી અને આ લેખ પણ સાદ્યંત વાંચી જવા જેવો છે.)
સર્જન અને અનુવાદ
સર્જન એક પ્રક્રિયા છે. તે વડે પરિણામ પર પહોંચવાનું હોય છે. આ પરિણામ તે કલાનુભવને શક્ય બનાવનારી શક્ય કશી પણ રચના. એ રચના વડે ભાવકને કલાનો અનુભવ થાય છે; ૨સાનુભવ અને આનંદાનુભવ (સુમન શાહ, કલામીમાંસા, પૃ.૧૪૫) આવો ૨સાનુભવ કે આનંદાનુભવ જે કૃતિ કરાવે તે સ્વાભાવિક રીતે સર્જનાત્મક કૃતિ ગણાય. આવી કૃતિઓમાં કવિતા નવલકથા, નવલિકા, નાટક આદિનો સમાવેશ થાય.
સાહિત્યની આ પ્રકારની સર્જનાત્મક કૃતિઓ એની ક્ષમતાને લઈને વિવિધ ભાષાઓમાં અનુવાદિત થતી રહેતી હોય છે આ પ્રકારના અનુવાદો આ કૃતિઓનાં વ્યાપને સિદ્ધ કરતા હોય છે. સાથોસાથ આ પ્રકારના અનુવાદો એક મહત્ત્વનું અને એટલું જ મુશ્કેલ કામ બનતું હોય છે. શ્રીમતી દુર્ગાભાગવત ઉચિત રીતે નોંધે છે તેમ ‘…ઉત્કૃષ્ટ અનુવાદ દુર્લભ વસ્તુ છે. કલાપૂર્ણ સાધના દ્વારા એનો જન્મ શક્ય છે એ ભૂલવું ન જોઈએ. અભિજાત કલાકારની જેમ જ અભિજાત અનુવાદક પણ કયારેક જ પેદા થાય છે…’
ભાષાન્ત૨ અને અનુવાદ
કવિની સાધનામાં ‘પદ્યાનુવાદની સમસ્યા’ એ લેખમાં ઉમાશંકર નોંધે છે તેમ બીજી ભાષાની કૃતિને સ્વભાષામાં ઉતારવાની ક્રિયા માટે આપની પાસે બે શબ્દો છેઃ ભાષાન્ત૨ અને અનુવાદ. આ બે શબ્દો જરીક ખોલીને જોવા જેવા છે. એમ કરતાં કૃતિને સ્વભાષામાં ઉતારવાની આખીય સ૨ણી સુરેખ રીતે સમજવામાં મદદ મળવા સંભવ છે. ભાષાન્તર એટલે અન્ય ભાષા, ભાષાન્તર શબ્દ કૃતિને અંગે ભાષાપલટો થયો છે એ બાહ્ય હકીકત ઉ૫૨ ભા૨ મૂકે છે. અનુવાદ એટલે મૂળની પાછળ પાછળ – મૂળને અનુસરીને બોલવું તે. ‘અનુવાદ શબ્દ ભાષાન્તર કેવી રીતે થયું તેની આંતરપ્રક્રિયા તરફ લક્ષ ખેંચે છે, કૃતિની ભાષા પલટાય – ‘ભાષાન્તર’ થાય એટલું પૂરતું નથી. મૂળ કૃતિનો જે અવાજ છે તે ઝિલાવો જોઈએ. ભાષાપલટો કરી દેવો – ‘ભાષાન્તર’ આપવું એટલો જ આશય હોવો ન જોઈએ, ‘અનુવાદ કરવાનો પ્રયત્ન હોવો જોઈએ. દરેક અનુવાદ ભાષાન્તર તો હશે જ. દરેક ભાષાન્તર અનુવાદ હશે જ એમ કહી ન શકાય.
(ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયું. તેમાં 25મી ડિસેમ્બરે અનુવાદ અંગે રાખવામાં આવેલી બેઠકમાં શ્રી રમણ સોની વતી અપાયેલું અધ્યક્ષીય વક્તવ્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના ફેબ્રુઆરી-માર્ચ 2022ના અંકમાં પ્રસિદ્ધ થયું હતું. આ બ્લોગ તેની જ ડિજિટલ નકલ છે. શ્રી રમણ સોનીએ તેમાં પ્રારંભે અનુવાદ એટલે શું અને અનુવાદનાં વિવિધ રૂપો અંગે ભૂમિકા બાંધી છે. એ પછી તેમણે અનુવાદકના પક્ષેથી અનુવાદની કળા અને તે અંગેના જરૂરી ગુણોની વાત કરી છે. પછી તેમણે વાચક પક્ષેથી સજ્જ ભાવક અને અનુવાદની સફળતા-નિષ્ફળતાની વાત કરી છે. અંતે તેમણે પરિષદને સુપ્ત અવસ્થામાં સરી પડેલા તેમના ‘અનુવાદ કેન્દ્ર’ને જાગૃત કરવાની ટકોર કરી છે. બેઠકમાં તેઓ સ્વયં હાજર નહોતા રહી શક્યા માટે તેમનું આ વક્તવ્ય અન્ય કોઈ દ્વારા વાંચવામાં આવ્યું હતું.)
ભૂમિકા
પ્રમુખશ્રી, સાથી વક્તા-મિત્રો તથા સુજ્ઞ સાહિત્યરસિકો. આ બેઠકના આરંભે, અનુવાદની વાત મારે બે જુદાજુદા ખૂણેથી ક૨વી છે – અનુવાદક પાસે ઊભા રહીને, અને પછી વાચક પાસે ઊભા રહીને.
પણ એ પહેલાં અનુવાદનાં રૂપો વિશે થોડીક વાત.
સૂર્યાવસાણી એકેડમી, સેડાતા, ભૂજ મુકામે 24થી 26 ડિસેમ્બર, 2021 ખાતે યોજાઈ ગયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 32માં જ્ઞાનસત્રમાં 25મી ડિસેમ્બરે અનુવાદની બેઠકની તસવીર. સંબોધન કરી રહેલા રમણીક સોમેશ્વર, બેઠેલા (ડાબેથી) છાયા ત્રિવેદી, દર્શના ધોળકિયા અને રમણ સોનીનું વક્તવ્ય વાંચનાર.
અનુવાદના રૂપો
તૉલ્સ્ટૉયની રશિયન નવલકથા ‘વૉયના ઈ મી૨’ના અંગ્રેજીમાં ‘વૉર ઍન્ડ પીસ’ નામે ઘણા અનુવાદો થયા છે. એમાંથી એકના અનુવાદક રિચર્ડ પિવિયરે અનુવાદની એક સાદી પણ માર્મિક ઓળખ આપી છે. એમણે કહ્યું છે કે, અનુવાદ એક ભાષામાંથી ખેંચીને જુદા પાડી શકાય એવા કોઈ ‘અર્થ’નું બીજી ભાષામાં કરાતું સ્થાનાન્તર નથી… અનુવાદ તો એ બે ભાષાઓ વચ્ચેનો સંવાદ છે – બે ભાષાઓ વચ્ચેના નાનાસ૨ખા અવકાશમાં આકાર લેતો સંવાદ’ 1 એ જ રીતે અનુવાદ એ સાંસ્કૃતિક સંવાદ પણ છે. અનુવાદની જે એક બીજી ઓળખ પણ પ્રચલિત થયેલી છે કે ‘અનુવાદ એ સાંસ્કૃતિક સેતુ છે’, એમાં જે વસ્તુ ખૂટે છે તે એને ‘સાંસ્કૃતિક સંવાદ’ કહેવાથી ઉમેરાય છે – એ છે મૂળ કૃતિનાં સ્પર્શ અને સૂર. કેમકે સાહિત્યકૃતિના અનુવાદમાં કેવળ સાંસ્કૃતિક સામગ્રીનું કે એની અભિજ્ઞતાનું જ સંક્રમણ થયેલું હોતું નથી. એવું જ્ઞાન તો સંસ્કૃતિ-વિચારના ગ્રંથોમાંથી ને સાંસ્કૃતિક ઇતિહાસોમાંથી મેળવી જ શકાય છે. પરંતુ સાહિત્યકૃતિનો અનુવાદ તો માનવ-સંબંધોમાં પરોવાયેલી, અને માનવ-સંવેદનામાં ધબકતી સાંસ્કૃતિક ચેતનાનો સંસર્ગ કરાવે છે. અને આજે તો જ્યારે, અનેક દેશોની તેમજ એક દેશના અનેક પ્રદેશોની સાંસ્કૃતિક વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને જ ઘણો ઘસારો પહોંચ્યો છે, અને પરિણામે એક કૃત્રિમ, પરિમાણો વિનાની સપાટ સંસ્કૃતિ આખી માનવજાત ૫૨ ફેલાતી રહી છે ત્યારે સાહિત્યકૃતિઓ જ માનવસમાજ અને સંસ્કૃતિની મૂળભૂત ભાતોનો બલકે એ ભાતીગળ અવાજોને સાચવી લે છે ને એ રીતે એના વાચકોની રુચિનું પોષણ અને સંવર્ધન કરે છે. વાચકના આ વિશિષ્ટ ચેતોવિસ્તા૨માં, એની પોતાની ભાષાની સાહિત્યકૃતિનો જે ફાળો હોય છે એવો જ ફાળો અનુવાદિત સાહિત્યકૃતિનો પણ છે. અનુવાદિત કૃતિ એ રુચિ-વિકાસમાં થોડાંક વધુ પરિમાણો ઉમેરી આપે છે.
આ પ્રશ્નોની યાદીમાં એક પ્રશ્ન ભાવકો તરફથી પૂછાતો હોય છેઃ ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકો મૂળ અંગ્રેજી પુસ્તકો કરતાં મોંઘા કેમ હોય છે?
આનો જવાબ તો એકદમ સરળ અને સમજી શકાય તેવો છે, માત્ર સમજવાની તૈયારી હોવી જોઇએ. મૂળ પ્રશ્ન અર્થશાસ્ત્રનો જ છે. અંગ્રેજી પુસ્તકનાં પ્રકાશનને ગુજરાતી પુસ્તકનાં પ્રકાશન સાથે સરખાવવાથી આ વાત એકદમ સરળતાથી સમજી શકાશે.
અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન
અંગ્રેજી વિશ્વ ભાષા છે, સમગ્ર જગતને જોડતી કડી છે. માટે અંગ્રેજી વાંચી શકતો વર્ગ ઘણો જ વિશાળ છે. આ બહોળા વાચકવર્ગને કારણે,
પુસ્તકોનું પ્રકાશન અને વેચાણ બહુ મોટા પાયે શક્ય બને છે.
લેખકને રોયલ્ટી સ્વરૂપે મોટી રકમ ચૂકવવામાં આવે, તો પણ પુસ્તકની નકલદીઠ તે રકમ ઓછી જ રહે છે.
પુસ્તકો પેપરબેક અને હાર્ડબાઉન્ડ એમ બે સ્વરૂપે છાપવાં શક્ય બને છે અને કિન્ડલ જેવા પ્લેટફોર્મ પર ઇ-બુક સ્વરૂપે પણ વેચી શકાય છે.
ઉદાહરણ તરીકે આપણે ભારતના લોકપ્રિય લેખકો અમીશ અને અશ્વિન સાંઘીના પુસ્તકો લઈએ.
જ્યારથી એવા સમાચાર મળ્યા કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ એપીજે અબ્દુલ કલામને મળવા જવાનું છે ત્યારથી એ દિવસથી રાહ જોતો હતો. ઘરમાં કે મિત્રવર્તુળમાં કોઈને વાત પણ નહોતી કરી કારણ કે આવી ઘટનાઓમાં ઘણાં ‘જો’ અને ‘તો’ હોય છે અને છેલ્લી ઘડીએ કંઇક લોચો તો પડશે જ એમ મનથી થતું હતું.
પણ છેવટે એ દિવસ આવી પહોંચ્યો હતો. (03/01/2014) એકબાજુ અમદાવાદના કનોરિયા સેન્ટરમાં શરૂ થઈ રહેલા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (GLF)માં હાજર રહેવાની તાલાવેલી હતી તો બીજી બાજુ કલામ સાહેબને મળવાની અદમ્ય ઝંખના હતી. તો પણ જીએલએફના ઉદ્દઘાટનમાં તો પહોંચી જ ગયો અને એ સાહિત્યોત્સવ માણતો રહ્યો. જોકે ત્યાં મારા પ્રકાશક રોનક શાહ (નવભારત સાહિત્ય મંદિર) મળી ગયા અને મને તેમણે યાદ અપાવ્યું કે મારે શાહીબાગ સમયસર હાજર રહેવું જરૂરી છે. એટલે ઉદ્દઘાટન સમારોહ પત્યા પછી મારે નીકળી જવું પડ્યું.
ઉત્તેજના એટલી હતી કે બધા કરતા સૌથી પહેલા હું જ ત્યાં પહોંચી ગયો. આમ તો રાહ જોવામાં કંટાળો આવત પણ શાહીબાગના એ વિસ્તારનું પ્રાકૃતિક સૌંદર્ય માણવમાં અને ખાસ તો મુક્ત મને વિહરતા મોર જોવામાં સમય વીતી ગયો. સાડા ત્રણ વાગે મુલાકાતનો સમયે હતો ત્યારે અમારી ટીમના એક સિવાય બધા જ આવી ગયા હતા. એ એક વ્યક્તિની રાહમાં અમારે દસ મિનિટ રોકાવું પડ્યું થયું અને એ દરમિયાન કલામ સાહેબને લંચ માટે બેસાડી દેવામાં આવ્યા. એટલે અમારે થોડીક વધારે રાહ જોવી પડી.
પુસ્તકોનાં ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ ન થવાના કારણો વાળા મારા લેખના જવાબમાં પ્રતિક્રિયાઓનો વરસાદ વરસી ગયો. બ્લોગ પર કોમેન્ટ સ્વરૂપે તેમજ અંગત ઇમેલ અને વિવિધ સોશિયલ મીડિયા તેમજ વોટ્સએપ મેસેજ સ્વરૂપે પણ. એ બદલ આપ સૌનો આભાર. આનાથી વધારે આનંદની ક્ષણ તો કઈ હોઈ શકે?
આ પ્રતિક્રિયાઓમાં મુખ્યત્વે બે પ્રકારની પ્રતિક્રિયાઓ રહી. પ્રથમ પ્રકારની પ્રતિક્રિયા આ ક્ષેત્રમાં કામ કરનારાઓ મિત્રોની. તેમણે પોતાની સહમતિ દર્શાવી અને અંગત અનુભવો પણ વહેંચ્યા.
બીજા પ્રકારની પ્રતિક્રિયા આવી યુવામિત્રો તરફથી. તેમણે અલગ અલગ રીતે એમ પૂછ્યું છે કે “શું અનુવાદને કારકિર્દી બનાવી શકાય?” આજે એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.
અનુવાદ કોણ કરી શકે?
અનુવાદ કોણ કરી શકે? અનુવાદક બનવા માટે શું કરવું જોઈએ? ક્વોલિફિકેશન્સ? કોર્સ? કોઇ ડાઉનસાઇડ? તકો?
આ પ્રશ્નોનો ટૂંકો જવાબઃ કોઈ પણ બે ભાષાઓનું (Source Language & Target Language) પૂરતું જ્ઞાન ધરાવતી વ્યક્તિ અનુવાદ કરી શકે છે. એના માટે અન્ય કોઈ જ વિશેષ લાયકાતની જરૂરિયાત નથી.
ન્યાયાધીશે વકીલને પૂછી લીધું, ‘હવે કોઇ બાકી છે કે લંચ લેવા જઇએ?’
વકીલ કહે, ‘ના…’
હું ત્રણ કલાકથી રાહ જોતો હતો. બે વાર ધક્કા ખાધા હતા. હવે એક મોકો તો મળવો જ જોઇએ. ફરી વાર ધોયેલા મૂળાની જેમ પાછા જવાની મારી ઇચ્છા નહોતી. એટલે મેં ઊભા થઇને કહ્યું, ‘હું બાકી છું…’
વકીલોએ પહેલાં મારી સામે જોઇને ખાત્રી કરી લીધી કે ‘મજકૂર’ માણસ ‘પૂરા હોશ-હવાસમાં, કોઇ પણ નશાની અસરથી મુક્ત, ધાક-ધમકી-દબાણને વશ થયા વગર સ્વેચ્છાએ’ જ બોલ્યો છે કે નહીં. તેમને વિશ્વાસ બેઠો એટલે તેમના લંચમાં વિઘ્નરૂપ બનનાર માણસને કડકાઇથી પૂછ્યું, “શું નામ તમારું?”
મેં કહ્યું, “ચિરાગ ઠક્કર.”
થોડીવાર પાનાં ઉથલાવીને જોઇ લીધું કે મારું નામ તેમાં છે કે હું માત્ર શોખથી અદાલતમાં હાજરી આપવા આવ્યો છું. પછી છડીદારે મારા નામની છડી પોકારી, “ચિરાગ ઠક્કર હાજર થાય….” અને હું ઊંડો શ્વાસ લઇને કઠેડામાં પ્રવેશ્યો.
પુસ્તકોનો છંદ લાગ્યો ત્યારથી માત્ર શબ્દોના સથવારે જ જીવન વીતાવવું એવો વિચાર હતો પરંતુ એવું કરી શક્યો છું 2013થી. એમાં પણ જીવન નિર્વાહ તો મોટાભાગે અનુવાદ, અને content writingથી જ થાય છે. આજે 100થી વધારે પુસ્તકોના અંગ્રેજીથી ગુજરાતી અનુવાદ (English to Gujrati Translation) અને ગુજરાતીથી અંગ્રેજી અનુવાદ (Gujarati to English Translation) કરવાનો સંતોષ પ્રાપ્ત થયો છે. આંતરરાષ્ટ્રીય કામમાં તો ઘણી વાર હિન્દીથી અંગ્રેજી અનુવાદ (Hindi to English Translation) અને અંગ્રેજીથી હિન્દી અનુવાદ (English To Hindi Translation) પણ કર્યો છે. હમણાં તો તમિલથી ગુજરાતી અનુવાદ (Tamil to English Translation)નું સાહસ પણ કર્યું છે, અંગ્રેજીના રસ્તે થઈને!
કાયમ પૂછાતો પ્રશ્ન
એટલે અનુવાદના જગતમાં ઘણા ઊંડા ઉતરવાનું થયું છે અને એ ઓળખાણ સાથે જ ઘણાં સર્જક, પ્રકાશક, અનુવાદક અને ભાવકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્ક થતો રહ્યો છે. જો વાતચીત સામાન્યથી થોડીક આગળ વધે તો એક સવાલ હંમેશા મને પૂછાતો રહ્યો છેઃ આપણા ઉત્તમ ગુજરાતી પુસ્તકોનો અંગ્રેજીમાં અનુવાદ શા માટે નથી થતો? મારા અન્ય અનુવાદક મિત્રોને પણ આ પ્રશ્ન ક્યારેકને ક્યારેક અવશ્ય પૂછાયો હશે, એમ હું છાતી ઠોકીને કહી શકું છું. દરેક વખતે સમયાનુસાર મેં બધાને લાંબો કે ટૂંકો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો જ છે, એમ છતાં આ માધ્યમથી આજે એ પ્રશ્નનો વિસ્તૃત જવાબ આપવો છે.