આમ તો બધાના જીવન ઘડતરમાં વાંચન અત્યંત મહત્વનો ભાગ ભજવે છે પરંતુ શિક્ષકો અને લેખકો-પત્રકારો માટે તો તે અનિવાર્ય છે. દુર્ભાગ્યે એવા શિક્ષકો અને લેખકો-પત્રકારોની સંખ્યા હવે ઘટી રહી છે. ત્યારે લોકપ્રિય લેખિકા વર્ષા પાઠકે મારો લેખ ‘વિશ્વ માતૃભાષા દિવસનો ફોરવર્ડોત્સવ‘ વાંચ્યો, ઇમેલ પર તેનો સુંદર પ્રતિભાવ આપ્યો અને પોતાની ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં ચાલતી કોલમ ‘આપણી વાત’ માં પણ તેના વિષે વાત કરી, તેનો ઋણસ્વીકાર!
